Monday, 6 July 2015

ઓઇલ કંપનીઓની અઢળક કમાણી પરંતુ ત્યાંની પ્રજાનું જીવન કંગાળ

વિષુવવૃત્તિય ગીનીમાં પશ્ચિમની
ગીનીમાં સરમુખત્યારશાહી વિષુવૃત્તિય ગીની આફ્રિકા ખંડનો એક નાનકડો દેશ છે. ૨૦૧૩માં તેની વસતી સાડા સાત લાખની હતી. તેના નામ પ્રમાણે તે વિષુવૃત્ત પર આવેલો છે. ૧૯૬૮માં તે સ્વતંત્ર થયો તેના પર સ્પેનની હકુમત હતી અને હજી પણ તેની સત્તાવાર ભાષા સ્પેનીશ છે. ૧૯૬૮માં સ્વતંત્રતા મળ્યા પછી ૧૯૭૦માં માર્કોસ ન્યુગેમાએ દેશમાં માત્ર એક રાજકીય પક્ષની સરકાર રચી. ૧૯૭૨માં માર્કોસ દેશના જીવનભરના પ્રેસિડેન્ટ બની ગયા. તેમણે વિરોધી લોકોને મારી નાખ્યા. ઇ.સ. ૧૯૭૫માં તેમને ઉથલાવવાનો પ્રયત્ન કરતા ૧૫૦ લોકોની કત્લેઆમ કરી નાખી.
બ્યુબી નામની લઘુમતી ટ્રાઇબના હજારો લોકોને મારી નાખ્યા આને જેનોસાઇડ કહેવાય. દેશ ભાંગી પડયો કારણ કે કુશળ કારીગરો, ટેકનિશિયનો અને વધુ કુશળ કામ કરનારા વિદેશીઓ દેશ છોડીને ભાગી ગયા. તે પછી માર્કોસને ઓબીઆન્ડા નામના નેતાએ ઉથલાવી પાડયા અને મારી નાખ્યા.
વિદેશી ઓઇલ કંપનીઓનું આગમન ઇ.સ. ૧૯૯૬માં અમેરિકન કંપનીએ આ દેશમાં ખનિજ તેલ ખોળી કાઢ્યું, તેલના કૂવાઓ ખોદ્યા તે પછી દેશમાં અર્થકારણ ઝડપી બન્યું. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે આ દેશને જગતના સૌથી વધુ ભ્રષ્ટ બાર દેશોમાંનો એક ગણ્યો છે. આ દેશનો માનવ અધિકારનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. ૧૯૬૮માં આ દેશે સ્પેન પાસેથી સ્વતંત્રતા મેળવી તે પહેલા એ કોકો, કોફી અને લાકડાની નિકાસ કરનારો દેશ હતો પરંતુ હવે તે ખનિજ તેલની પણ મોટે પાયે નિકાસ કરે છે. વર્ષોથી આ દેશના પ્રેસિડેન્ટ ઓબીઆંન્ગ છે. પુષ્કળ ભ્રષ્ટ અને ક્રૂર છે પણ અમેરિકાના મિત્ર છે. કારણ કે તેમના દેશમાં અમેરિકન ઓઇલ કંપનીઓ કામ કરે છે જેને લીધે દેશની આવકમાં ગંજાવર વધારો થયો છે. ખનિજ તેલના ધંધાના કારણે હવે આ દેશમાં એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટની રચના થઈ છે. આ દેશમાં નસીબ અજમાવવા, બ્રિટીશ, ફ્રેંચ, જર્મન વગેરે કાયમી વસવાટ કરવા આવ્યા છે. થોડાક ઇઝરાઇલી, મોરક્કન અને ભારતીયો પણ આવ્યા છે. ઇ.સ. ૨૦૦૦માં આ દેશની માથાદીઠ આવક ૨૮૦૦ ડોલર્સ હતી તેમ છતાં તેની વસતીના લગભગ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે અને સરાસરી જીવન આવરદા માત્ર ૫૩ વર્ષ છે. ૨૦૦૦માં તેની માથાદીઠ આવક જે માત્ર ૨૮૦૦ ડોલર્સ હતી. ઇ.સ. ૨૦૧૩માં તે જબરજસ્ત વધીને ૧૪,૩૨૦ ડોલર્સ થઈ ગઈ પણ દેશમાં ઉપર જોયું તેમ ૭૭ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. દેશની સમૃદ્ધિનો લાભ ત્યાંના રાજ્યકર્તાઓ અને વિદેશીઓ લે છે.
જબરજસ્ત અસમાનતા ઃ આ દેશમાં સંપત્તિ અને આવકની અસમાનતા પુષ્કળ વધારે છે, નહીં તો ૭૭ ટકા લોકો ગરીબીની રેખા હેઠળ ક્યાંથી જીવતા હોય ? દેશના નેતાઓ નિર્દયી સરમુખત્યારો છે. જેમાં વિરોધીઓની કત્લેઆમ ચલાવે છે. દેશની મોટા ભાગની સંપત્તિ આ સરમુખત્યાર અને તેના કુટુંબીજનો અને મળતિયાઓ લૂંટી લે છે. વિરોધીઓ આતંકિત (ટેરરાઇઝ્ડ) થઈ ગયા છે. મોટા ભાગના લોકો ઝોંપડપટ્ટીમાં નળના પાણીની અને ગટરની સવલતો વિના જીવે છે. તેમાંના ઘણા તો નાના નાના ફેરિયા કે નાના દુકાનદારો છે. ઘણાં અનાજ અને ભંગાર વીણે છે. આ દેશમાં તેલનો જથ્થો ખૂબ મળ્યો હોવાથી તેનો આર્થિક વૃદ્ધિદર ઉંચો રહ્યો છે ભવિષ્યમાં પણ ઉંચો રહેશે. મોટા ભાગની તેલ કંપનીઓ અમેરિકાની છે આ કંપનીઓ (અમેરિકાની અને અન્ય ધનિક દેશોની) એ દેશની સરમુખત્યાર સરકાર સાથે સમજૂતી સાધી છે. કંપનીમાં કામ કરનારા લોકો (મોટા ભાગના વિદેશીઓ) પોતાના વિસ્તારમાં ઠાઠથી સારા મકાનોમાં રહે છે. જ્યારે દેશવાસીઓ ઝૂંપડામાં રહે છે. આ કંપની ઘણો નફો કરે છે અને પોતાની મિલકત સચવાય તેથી રાજ્યને મદદ કરે છે. વળી ઓઇલ ક્ષેત્રમાં કામ કરનારા કુશળ કારીગરો (ટેકનિશિયનો) પણ સારી રીતે જીવે છે. વૉશિંગ્ટનમાં ઓઇલ લોબી તેના રાજ્યકર્તાઓને સમજાવે છે કે, અમેરિકન બિઝનેસ આ દેશમાં સારી કામગીરી કરી રહી છે. જ્યારે અમેરિકામાં જ્યોર્જ બુશ પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે આ દેશમાં અમેરિકન એમ્બેસીની પણ સ્થાપના કરી હતી. જ્યોર્જ બુશના સમયમાં ખનિજ તેલની લોબી ઘણી શક્તિશાળી હતી. આ દશમાં માનવ અધિકારોનું ધોરણ તદ્દન નીચું હોવા છતાં અમેરિકાને તેની પડી નથી. હવે નવા બંધારણ હેઠળ કોઈ જીવનભરનો પ્રેસિડેન્ટ ના થઈ શકે તેવી જોગવાઈ છે. અત્યારના પ્રેસિડેન્ટની મુદત ઇ.સ. ૨૦૧૬માં પૂરી થાય છે પછી પણ તેઓ પ્રેસિડેન્ટ રહેવા માગે છે. તેમના મત મુજબ તેઓ ઘણા વર્ષો પ્રેસિડેન્ટ રહ્યા પછી નવા બંધારણ પછી તેઓને નવેસરથી પ્રેસિડેન્ટ બનવાનો હક્ક છે.
નિરીક્ષણો ઃ ઉપરના કેસ સ્ટડી ઉપરથી ઘણી બાબતો સ્પષ્ટ બને છે. અમેરિકન કે યુરોપની કંપનીઓ જ્યાં જ્યાં તેલ મળે કે ખોળી કાઢે ત્યાં ધસી જાય છે અને પુષ્કળ નફો કરે છે. તેમની દલીલ એવી છે કે અમે પોતે જ ખનિજ ઓઇલના ક્ષેત્રો માટે જબરજસ્ત મૂડીરોકાણ કર્યુ છે. ટેકનિકલ કુશળતા જોઈએ તે પણ અમે જ પૂરી પાડીએ છીએ. તો પછી અમે નફો કેમ ના કરીએ ? અમે તે દેશના રાજકારણમાં પડવા માંગતા નથી પણ રાજકારણીઓ અમને કાઢી ન મૂકે તે માટે તેમને મનાવી લઈએ છીએ. વળી આ દેશમાં કુશળ કારીગરો જ નથી તેથી અમારે તેઓને અન્ય દેશોમાંથી જ સારા પગારે લાવવા પડે છે. આ દેશના રાજકર્તાઓ અનર્ગળ ભ્રષ્ટાચાર કરે છે અને પુષ્કળ વિરોધીઓને જેલમાં પૂરી ટોર્ચર કરે કે મારી નાખે છે પણ તેમાં અમે શું કરી શકીએ ? અમે અહીં વેપાર કરવા આવ્યા છીએ, રાજકારણ ખેલવા નથી. આ દેશના સરમુખત્યારો અમારી સંપત્તિ લૂંટી લેતા નથી કારણ કે એમની પાસે ઓઇલ કંપનીઓ મેનેજ કરવાની કોઈ કુશળતા નથી પરંતુ આ દલીલ ચાલી શકે તેમ નથી. કુશળતા કેળવી શકાય છે ભારતે તે કેળવી છે કે નહીં ? ખનિજ તેલની આવકનો સિંહ ભાગ આ કંપનીઓ લઈ જાય છે તેના બદલામાં થોડાક પ્રતીકાત્મક રસ્તાઓ બાંધી આપે કે થોડી શાળાઓ ઊભી કરે તે પૂરતું નથી તેનાથી આ ગરીબ દેશમા મૂળભૂત સુધારા આવી શકે નહીં. ગરીબો તો ગરીબ જ રહેશે. કારણ કે કુશળતા વધારવાની સવલતો આ દેશમાં ઊભી થઈ નથી અને માત્ર સાડા સાત લાખની વસ્તી ધરાવતા આ રાજ્યના રાજકર્તાઓ પુષ્કળ ધન પોતાના અંકે કરી લે છે. વળી તે ઉપરાંત એક મુદ્દો એ છે કે આફ્રિકાના દેશોમાં લોકશાહીની પરંપરા ઊભી થઈ નથી. જ્યાં યુગાન્ડાના ઇદી અમીનને પણ ભુલાવે એવા ક્રૂર સરમુખત્યારો ઉભા થાય છે. તેઓ જનતાને લૂંટે છે આ બધું જોયા પછી ભારતમાં લોકશાહી (ભલે ત્રૂટિપૂર્ણ હોય) છે તેનાથી એક પ્રકારની નિરાંતની લાગણી થાય છે.
છેલ્લે એક વાત ભૂલવાની નથી ભારતની પણ મોટી કંપનીઓ આફ્રિકા ખંડમાં ખનિજનું ઉત્ખનન કરે છે. ખનિજ ક્ષેત્રની માલિકી પણ ધરાવે છે. ભવિષ્યમાં ભારતની અનેક કંપનીઓ બહુરાષ્ટ્રીય બનશે અને આફ્રિકાના સંશાધનોનો ઉપયોગ કરશે અને ભારતને સમૃદ્ધ કરશે. આ બાબત ઇચ્છવા યોગ્ય છે કે નહીં તે ચર્ચા માંગી લે છે. પશ્ચિમની કંપનીઓ અન્ય દેશનું શોષણ કરે છે પણ ભારતની મોટી કંપનીઓ ના કરે એવું માનવાની જરૃર નથી. તક મળતા દરેક જૂથ કે પ્રજા બીજા અસહાય જૂથ કે અસહાય દેશનું શોષણ કરે છે. તેને અટકાવવા શોષિત લોકો કે જૂથોએ 'એમ્પાવરમેન્ટ' થવું પડે. તેમણે જ પહેલ કરવી પડે કારણ કે શોષણખોરો શોષિત પ્રજા માટે કોઈ સહાનુભૂતિ ધરાવતા નથી.

વ્યાપમ ટેરરઃ સન્નાટામાં ત્રાટકતું મોત કે યોગાનુયોગ?

સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી અને કૌભાંડનો તાગ મળતો નથી

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે



આઝાદી પછી કદાચ ભાગ્યે જ આવી કોઈ ઘટના નોંધાઈ છે જેમાં એક જ કૌભાંડ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા આરોપીઓ, સાક્ષીઓ, તપાસકર્તાઓ, પક્ષકારો સંદેહાત્મક મૃત્યુને ભેટતા હોય અને તેમ છતાં મૃત્યુનું કારણ ન જડતું હોય અને કૌભાંડનો છેડો ન પકડાતો હોય. એ હિસાબે મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ અભૂતપૂર્વ બની રહ્યું છે.
સોશિયલ મીડિયાથી માંડીને પ્રસાર માધ્યમો સુધીના દરેક સ્તરે સનસનાટી મચાવી રહેલું વ્યાપમ કૌભાંડ તેમાં કોઈકને કોઈક રીતે સંકળાયેલા લોકોના પરિજનોના હૈયે ય હવે ફાળ પાડી રહ્યું છે. એક પછી એક ઘટનાઓ જ એવી બને છે કે જેનો કોઈ તાગ મળતો નથી. એકસરખી ભેદી રીતે મોતને ભેટતા લોકોની સંખ્યા ત્રણ વર્ષમાં અર્ધશતકે પહોંચવા આવી છે. સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, ભેદી રીતે મોતને ભેટતા લોકોના પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી થઈ રહી છે અને એ પછી ય ભેદ ઉકેલાતો નથી.
મોત આવે છે પણ કેવી રીતે? જુઓ કેટલાંક ઉદાહરણ...
૨૦ વર્ષની એક યુવતીનું નામ નમ્રતા ડામોર. બારમા ધોરણમાં ઓછા ટકા આવ્યા પણ કોઈકે બનાવટી માર્કશીટ બનાવડાવીને મેડિકલમાં એડમિશન અપાવી દીધું. વ્યાપમ કૌભાંડની તપાસમાં માર્કશીટનો નંબર સરકારના રેકર્ડ સાથે ચેક કરવામાં બનાવટ પકડાઈ ગઈ એટલે નમ્રતાની પૂછપરછ થઈ, જેમાં તેણે પૈસા ખવડાવીને બનાવટી માર્કશીટ બનાવડાવી હોવાનું તેમજ એ ખોટી માર્કશીટના આધારે જ મેડિકલમાં એડમિશન લીધું હોવાનું સ્વીકારી લીધું.
પોલિસે આરંભે તેને કૌભાંડની સાક્ષી બનાવી અને તેના નિવેદનને આધાર બનાવીને કેટલાંક વચેટિયાની ધરપકડ કરવાનું આયોજન કર્યું. પોલિસ હજુ નમ્રતાની વધુ પૂછપરછ કરે એ પહેલાં ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં નમ્રતા ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડાં દિવસ પછી ૧૩૦ કિલોમીટર દૂર ઉજ્જૈન નજીકના રેલ-વે ટ્રેક પાસેથી તેની લાશ મળી. એ અહીં સુધી કેવી રીતે પહોંચી, તેની સાથે કોણ હતું, છેલ્લે તેણે કોનો સંપર્ક કર્યો હતો અને સૌૈથી વિશેષ તો, તેનું મૃત્યુ કેવી રીતે નીપજ્યું એ એકપણ સવાલના જવાબ ત્રણ વર્ષે ય હજુ સુધી મળ્યા નથી.
હવે બીજો બનાવ જુઓ.
એ જ નમ્રતા ડામોરના ભેદી મૃત્યુની છાનબીન કરવા અક્ષય સિંઘ નામનો એક રાષ્ટ્રીય ચેનલનો પત્રકાર મથી રહ્યો હતો. વ્યાપમ કૌભાંડ સંબંધિત કેટલીક સ્ટોરી તેણે કરી લીધી હતી. મધ્યપ્રદેશની ગુજરાતની સરહદ પાસેના ઝાબુઆ ગામના મેઘનગર વિસ્તારમાં જઈને તેણે નમ્રતાની ફ્રેન્ડ્સ, ટીચર્સ, પાસપડોશી અને બીજા લોકોના ઈન્ટરવ્યૂ પણ કર્યા હતા. છેવટે નમ્રતાના પરિવારજનો સાથે એ એક લાંબો ઈન્ટરવ્યૂ કરી રહ્યો હતો.
ઈન્ટરવ્યૂ પત્યા પછી કેટલાંક કાગળોની ફોટોકોપી કરાવીને અક્ષયને આપવા નમ્રતાના એક સંબંધી બજારમાં ગયા અને અક્ષય તેમજ કેમેરામેન ઘરની બહારના કેટલાંક દૃષ્યો કેમેરામાં ઝડપી રહ્યા હતા. અચાનક જ અક્ષયે કેમેરામેનને કહ્યું કે, 'મને કંઈક થાય છે', કેમેરામેન કંઈ સમજે એ પહેલાં તો અક્ષય ભોંય પર પટકાઈ પડયો અને તેનાં મોંમાંથી ફીણ નીકળવા માંડયા. તાત્કાલિક તેને પહેલાં સિવિલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને પછી પાડોશી રાજ્ય ગુજરાતના દાહોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત જાહેર થયો.
હજુ ગયા અઠવાડિયે પહેલી જુલાઈએ પોતાનો ૩૯મો જન્મદિન ઉજવનાર અક્ષય બિલકુલ તંદુરસ્ત હતો અને તેને કોઈ જ બિમારી ન હતી. ભોંય પર તે પટકાયો ત્યાં સુધી કશીક તકલીફ થતી હોવાની તેણે કોઈ ફરિયાદ સુદ્ધાં કરી ન હતી. તો પછી અચાનક એવું શું થયું કે તે ગણતરીની મિનિટોમાં મોતને ભેટયો? સવાલ માત્ર અક્ષયનો નથી. વ્યાપમ કૌભાંડમાં આવા મોતની ભયાનક અને ચોંકાવનારી હારમાળઆ છે.
બીજો કિસ્સો જુઓ...
વ્યાપમ કૌભાંડમાં સરકારી નોકરીઓ ઉપરાંત એન્જિનિયરિંગ અને મેડિકલના એડમિશનમાં પણ ભારે ગોટાળા થયા હોવાનું તપાસમાં જણાતાં એક વર્ષ પહેલાં જબલપુરની નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજના ડીન ડો. ડી.કે.સકલ્લેને છેલ્લા પાંચ વર્ષમાં અપાયેલા મેડિકલ એડમિશનની સરકારી રેકોર્ડ મુજબ ખરાઈ કરવાની તપાસ સોંપાઈ હતી.
આ તપાસ સોંપાયાના થોડાં જ સમયમાં ડો. સકલ્લે રવિવાર હોવા છતાં 'અગત્યનું કામ હોવાથી ઓફિસે જાઉં છું' એમ કહીને મોડી સાંજે ઘરેથી નીકળ્યા. રાતભર ઘરે પરત ફર્યા નહિ અને સોમવારે સવારે તેમને ફાળવાયેલા મેડિકલ કોલેજના ક્વાર્ટરમાં બળેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો. ડો. સકલ્લે કેવી રીતે સળગી ગયા? સળગી ગયા ત્યારે કોઈએ તેમની ચીસ કેમ ન સાંભળી? વગેરે પાયાના સવાલો સુદ્ધાં હજુ અનુત્તર છે.
દરમિયાન...
ડો. સકલ્લેના ભેદી મૃત્યુ પછી તેમના સ્થાને ડો. અરુણ શર્મા નામના નવા ડીન નિમાયા. તેમણે ડો. સકલ્લેએ તારવેલા તપાસના મુદ્દાઓ વ્યાપમ કૌભાંડની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપ્યા અને મળેલા આદેશ મુજબ નવી તપાસ આગળ ધપાવી. દરમિયાન, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા અગરતલા (ત્રિપુરા)ની એક મેડિકલ કોલેજના ઈન્સ્પેક્શન માટે જવાનું કહેણ આવતાં શનિવારે રાતે તેઓ દિલ્હી પહોંચ્યા. દિલ્હીમાં તેઓ હોટેલ ઉત્પલમાં રોકાયા અને મેડિકલ કાઉન્સિલને પોતાની હાજરીની જાણ કરીને રવિવારે બપોરે નિયત સમયે પોતે એરપોર્ટ પહોંચી જશે એવું કહ્યું.
રવિવારે સવારે ક્યાંય સુધી તેમના રૃમનો દરવાજો ય ન ખૂલ્યો અને તેમના રૃમમાં હોટેલનો ઈન્ટરકોમ પણ અનુત્તર રહ્યો એટલે હોટેલવાળાએ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો તો ડો. શર્મા પથારીમાં પડયા હતા અને તેમના મોંમાંથી ફીણ નીકળતું હતું. પથારી પાસે દારૃની અડધી ભરેલી બોટલ હતી. બ્લડપ્રેશર સહિત કેટલીક દવાઓ ટેબલ પર પડી હતી. એ સિવાય બધું જ યથાવત્ત હતું. ફક્ત ડો. શર્માનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આપણે અહીં ચાર મૃત્યુ વિશે વિગતે વાત કરી, પરંતુ બહુચર્ચિત વ્યાપમ કૌભાંડમાં આવા ભેદી, ડરામણા અને અત્યંત સનસનીખેજ મૃત્યુની હારમાળા છે. આવા આકસ્મિક અને રહસ્યમય મૃત્યુનો આંકડો પચાસ સુધી પહોંચવા આવ્યો છે. ડો. સકલ્લેનો એક જ કિસ્સો એવો છે જેમાં બળેલી હાલતમાં લાશ મળી છે. બાકીના મોટાભાગના કિસ્સામાં દારૃ અને દવા લાશ પાસેથી મળ્યા છે. કેટલાંક કિસ્સામાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
કેટલાંક કિસ્સામાં રસ્તા પર અકસ્માતમાં મોત થયું હોય એ પ્રકારે ઘવાયેલી લાશ મળી આવી છે. જોકે અકસ્માત જોયો હોય એવું કોઈ નથી. અપમૃત્યુના દોઢ ડઝનથી કિસ્સા એવા છે જેમાં મૃતક યુવાન વયના, તંદુરસ્ત અને માંદગીની કોઈ ફરિયાદ વગરના હોય. અક્ષય સિંહ સહિત કેટલાંક કિસ્સામાં પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી પણ થઈ છે. ડો. શર્માના કિસ્સાની માફક વિસેરાની ફોરેન્સિક જાંચના આદેશ આ અગાઉ પણ થયા છે પરંતુ તારણ કશું જ આવતું નથી અને કમનસીબે ચૂપકીદીપૂર્વક ત્રાટકી જતા મોતનો સિલસિલો પણ ખતમ થતો નથી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના ચાહકો, સમર્થકોમાં 'મામા'ના હુલામણા નામે જાણીતા છે અને તેમના જ રાજ્યમાં આઝાદી પછીના દરેક કૌભાંડનો 'મામો' ગણાય એવું કૌભાંડ સનસનાટી મચાવે છે. વ્યાપમ કૌભાંડ શું છે, કોણ-કોણ એમાં સંડોવાયેલું છે એ વિશે આપણે આ કોલમ અંતર્ગત અગાઉ ચર્ચા કરી જ ચૂક્યા છીએ. છતાં ટૂંકમાં જાણી લઈએ તો, મધ્યપ્રદેશ સરકારના વ્યાવસાયિક પરિક્ષા મંડળ (વ્યાપમ) દ્વારા થતી સરકારી ભરતીમાં તેમજ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન લેવાયેલી મેડિકલ, એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થતી હોવાનું બહાર આવ્યું હતું. એ પછી ઉચ્ચ શિક્ષણમંત્રી લક્ષ્મીકાંત શર્મા સહિત વ્યાપમના ટોચના એક ડઝનથી વધુ અધિકારીઓ જેલ ભેગા થયા હતા.
મોટા માથાઓની સંડોવણી પછી રાષ્ટ્રીય સ્તરે ચમકેલા આ કૌભાંડમાં સરકારે હાઈકોર્ટના આદેશથી સ્પેશ્યલ ટીમ નિમવી પડી હતી. સ્પેશ્યલ ટીમે સપાટો બોલાવાનો શરૃ કર્યો. આરોપીઓની યાદી તૈયાર થઈ, ધરપકડોનો દૌર આરંભાયો અને સાક્ષીઓને તૈયાર કરાયા. એ દરમિયાન અપમૃત્યુઓનો સિલસિલો પણ જારી થઈ ગયો. સંદેહાત્મક મૃત્યુનો આંકડો પચાસે પહોંચ્યો છે પણ મોતનું કારણ મળતું નથી, કૌભાંડનો તાગ મળતો નથી અને ચૂપકીદીપૂર્વક ત્રાટકતું મોત એવા જ છદ્મવેશે ગાયબ થઈ જાય છે... રહી જાય છે ફક્ત મોંમાંથી ફીણ નીકળતી પ્રાણ વગરની લાશ!
Source:[Gujarat Samachar]

ભૂતકાળની ભૂતાવળો

સરકારી નોકરીમાં મહત્ત્વના હોદ્દેથી પરવારી ઉતરેલા અમલદારો તેમનાં સંભારણાં લખે ત્યારે વિવાદ ન થાય એવું ભાગ્યે જ બને. તેમને પુસ્તક લખવાનું મન ત્યારે જ થાય, જ્યારે તેમને કશું કહેવાની-જણાવવાની ચટપટી જાગી હોય અને નોકરી દરમિયાન તેની પર કાબૂ રાખીને બેઠા હોય. એમાં પણ ભારતની જાસુસી સંસ્થા 'રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'ના વડા તરીકે કામ કરી ચૂકેલી વ્યક્તિ જ્યારે અને જેટલું પણ મોં ખોલે, ત્યારે ધુમાડા અને આગ નીકળે જ. 'રો'ના સૌથી નામાંકિત અને સૌથી સફળ ગણાયેલા વડા રામનાથ કાઓનું મોં આજીવન બંધ રહ્યું. તેમને ઘણું બધું કહેવાનું હતું. 'રો'ની સ્થાપનાથી માંડીને બાંગલાદેશના સર્જનમાં 'રો'નો ફાળો તથા આંતરરાષ્ટ્રિય સ્તરે 'રો'ની કામગીરી વિશે કાઓ પાસે રહેલી માહિતી કેવી માર્કાની હોય, એ કલ્પી શકાય એવું છે. કાઓએ આ બધું લખી પણ રાખ્યું. છતાં તેને પ્રકાશિત કરવાથી દૂર રહ્યા. પોતાના મૃત્યુ પછીનાં અમુક વર્ષે જ એ લખાણ પ્રકાશિત કરવાની તેમની સૂચનાનું કડક પાલન થયું. પરંતુ વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે 'રો'ના વડા તરીકે ફરજ બજાવનાર એ.એલ.દુલાત લાંબો સમય ચૂપ ન રહ્યા. તેમના પુસ્તક 'કાશ્મીર ઃ ધ વાજપેયી યર્સ'થી કેટલાક જૂના વિવાદો નવેસરથી ધુણવા લાગ્યા છે.
દુલાતના જણાવ્યા પ્રમાણે, ઇન્ડિયાન એરલાઇન્સના વિમાનનું ત્રાસવાદીઓએ અપહરણ કર્યું અને તેના મુસાફરોને મુક્ત કરવા માટે એનડીએ સરકારે ખતરનાક ત્રાસવાદી મસુદ અઝહરને છોડી મૂકવો પડયો, એ પ્રસંગે સરકારની નિર્ણયશક્તિ ઓછી પડી. તેમના મતે, અપહૃત વિમાન પહેલાં અમૃતસર વિમાનમથકે ઉતર્યું, ત્યારે તેને ત્યાં જ રોકી પાડવા માટે પંજાબ પોલીસ સક્રિય બની ચૂકી હતી. પંજાબ પોલીસ પાસે વિમાનને નિષ્ક્રિય બનાવી દઇ શકે એવા કમાન્ડો હતા. પરંતુ સરકાર તરફથી એ પ્રકારના કોઇ સ્પષ્ટ આદેશ અપાવાને બદલે ચર્ચાઓ થતી રહી અને વિમાન અમૃતસરથી ઉડીને લાહોર-દુબઇ થઇને કંદહાર પહોંચી ગયું. ત્રાસવાદીઓને છોડવાના મુદ્દે જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લા બહુ નારાજ હતા અને દુલાતે લખ્યું છે કે અબ્દુલ્લાએ તેમની સામે (ગુસ્સામાં આવીને) ઘણા બૂમબરાડા કર્યા અને પછી રાજ્યપાલને મળવા ચાલ્યા ગયા. દુલાતના જણાવ્યા પ્રમાણે, ફારુક રાજીનામું આપવા માગતા હતા પણ રાજ્યપાલે ઉત્તમ સ્કૉચ અને થોડી વાતોચીતો કરીને ફારુકને ટાઢા પાડયા અને રાજીનામું આપતાં રોક્યા.
ગુજરાતમાં ૨૦૦૨ની કોમી હિંસા વિશે દુલાતે વાજપેયીનું ખેદ-વાક્ય નોંધ્યું છે કે 'વો હમારેસે ગલતી હુઇ હૈ.' વર્ષ ૨૦૦૪માં થયેલી ચૂંટણીમાં એનડીએનો પરાજય થયો ત્યારે પણ દુલાતના જણાવ્યા પ્રમાણે, વાજપેયીએ ગુજરાતની 'ગલતી'ને યાદ કરી હતી અને તેમના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી. વાજપેયીની પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મુશર્રફ સાથે આગ્રામાં બેઠક યોજાઇ ત્યારે તેમની મંત્રણાઓ સફળ બને એવી પૂરી સંભાવના હતી. વાજપેયી સરકારમાં ભારે દબદબો ધરાવતા સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા મંત્રણાઓ બાબતે બહુ આશાવાદી હતા. પણ આગલી સાંજે બધા નેતાઓ સાથેની મુલાકાત વખતે, દુલાતના નોંધ્યા પ્રમાણે, ગૃહમંત્રી અડવાણીએ મુશર્રફને દાઉદ ઇબ્રાહિમ વિશે પૂછપરછ કરતાં મુશર્રફ ઉખડી ગયા અને મંત્રણાઓનું વાતાવરણ બગડી ગયું. સરવાળે મંત્રણાઓ નિષ્ફળ ગઇ.
દુલાતના પુસ્તકમાં અને તેમની મુલાકાતોમાં જાહેર થયેલા આવા ઘણા મુદ્દાને લઇને કૉંગ્રેસે વર્તમાન સરકાર સામે રાબેતા મુજબ ટીકાનો મારો ચલાવ્યો છે. ખાસ કરીને, કંદહાર અપહરણકાંડમાં ત્રાસવાદીઓને છોડી મૂકવાનું પગલું અને ગુજરાતની કોમી હિંસા ફરી એક વાર કૉંગ્રેસ માટે હાથવગાં બન્યાં છે. કંદહારકાંડ વખતે સરકારની ભૂમિકા વિશે બેશક મતભેદ હોઇ શકે છે અને કૉંગ્રેસની સરકારના રાજમાં એ બનાવ બન્યો હોત, તો આ જ ભાજપી નેતાઓ કૂદી કૂદીને રાષ્ટ્રવાદના નામે કૉંગ્રેસના માથે છાણાં થાપતા હોત. કૉંગ્રેસની મુશ્કેલી એ છે કે તેના પ્રવક્તાઓની વાતનો મુદ્દો ગમે તેટલો સાચો હોય તો પણ એ તેમના મોઢેથી શોભતો નથી. ગુજરાતની કોમી હિંસાના મુદ્દે વડાપ્રધાન પર આક્રમણ માટે આતુર કૉંગ્રેસ પહેલાં એ વાતનો તો જવાબ આપે કે કાળા બોગદા જેવા એ સમયગાળામાં કૉંગ્રેસે શું કર્યું હતું? અને ત્યાર પછીના દિવસોમાં પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં, કૉંગ્રેસ કેમ ન્યાયની લડતના પક્ષે ભાગ્યે જ દેખાઇ?
એક સમયના વરિષ્ઠ પત્રકાર-તંત્રી એમ.જે.અકબરે ભાજપના બચાવમાં ઉતરવું પડેે અને રીઢા રાજકારણીના અંદાજમાં દલીલો કરવી પડે, એ આમ તો નિશ્ચિત થઇ ચૂકેલી, છતાં જ્યારે પણ થાય ત્યારે નવેસરથી કરુણતા જગાડતી વાસ્તવિકતા છે. અકબર કોમી હિંસામાં તત્કાલીન મુખ્ય મંત્રી (હાલના વડાપ્રધાન)ને ક્લીન ચીટ મળી ગયાની અને એકેય અદાલતમાં તેમનો ગુનો પુરવાર ન થયો હોવાની વાત કરેે અને એમ કહે કે કૉંગ્રેસરાજમાં થયેલાં હુલ્લડો વિશે આવી તપાસ થઇ હોત તો તેના ઘણા નેતાઓ જેલમાં હોત--ત્યારે એટલો જ વિચાર આવે છે કે અકબર જેવા એક સમયના સજ્જ વિચારનારાનું પક્ષીય રાજકારણમાં ગયા પછી કેવું પતન થાય છે.
Source:[Gujarat samchar]

Saturday, 4 July 2015

Do you think India’s economic progress and its inclusive growth strategy has reduced poverty and inequality in the country? Critically analyse, especially with reference to the plight of tribal population. (200 Words)

India have reduced poverty level to more than half as data of millennium development goal, undp reports.The credit for this goes to economic growth and programs like mnrega and pmegp etc. But at the same time inequality has increased and this is attributed to jobless economic growth . recent data on socio economic and caste census 2011 states that 30 % of rural households are landless and are engaged in manual or casual labour, illiterate rate in rural areas are more than 36% as against 32% and this clearly defines that still the people are unemployed due to this reason increasing inequality gap between rich and poor.

India's superrich now own 49% of India's personal wealth as against the 37% in 2000.official data states that worst affected are the tribal people in terms of income health infrastructure governance. Development projects seeks to displace many people and worst affected are again tribal society.

Thus need of the hour is to strengthen the inclusive growth staretegies and take these step to reduce inequality in society -

- proper implementation of mudra scheme to foster growth of msme segment in order to generate employment for rural people rather than only encouraging service sector for highly educated.

- strengthen the education program in rural areas to reduce illiteracy rate and skill development to be engaged with schools itself .thus people can get engaged in make in India and digital India program.

- mnrega corruption needs to be checked.

- cooperative federalism needs to be strengthened and empowering gram sabhas .

- strengthen agricultural sector for tribals, at the same time non timber forest products utilisation in consultation with tribal people can generate income opportunities keeping in minds the rights of tribal people.

- bureaucracy shall ensure proper implementation of various schemes and check leakages.

- involve last citizens in decisions that affects their lives who?e acquiring land for public purposes.

Trickle down effect will only be effective if its implementation is done with transparency and there is an actual will to do rather than merely just opening a bank account by rural people doesn't make them equal to rich.

Is it the liquor or excise policy that kills the people in India? In the light of recent illicit liquor consumption related deaths, critically comment on the statement. (200 Words)

Tax revenues from liquor sales has become biggest revenue generator for many states.Though heavy taxation on liquor is justified in the name of moderating consumption, it has in-fact increased illegal liquor production and consumption.

The distortion created by heavy taxation on alcohol is severe on the lives of the poor. As genuine liquor products are priced out, poor approach illegal liquor shops. This has become a lucrative option for bootleggers who produce liquor using harmful chemicals like methanol. The net effect is that the health of poor is severely affected. Though only cases of death are highlighted by the media, long term harmful effects like loss of vision, cancers and economic drain is much more debilitating on the poor.

Continuing the colonial policies, govt has increased the availability of liquor shops to generate more revenue. Unfortunately due to such policies, we have belt shops in all panchayats but primary health care centres virtually non-existent. Bootlegging activities are also common in areas where prohibition is under enforce. Unlawful nexus between the local police officials and politicians are fueled the expansion of both legal and illegal liquor shops.

Revenue gains in the short term by the states through this strategy has disastrous consequences on the individual's health as well as economic progress of the nation due to non-communicable diseases and diversion of income. A serious introspection need at national level. In the short term we have to reduce taxation but also decrease the availability. Production of illicit liquor has to be stopped through strict norms for both producers as well as colluders.

In recent years India has become a haven for commercial surrogacy, a controversial assisted reproductive technology. Critically examine why this is popular in India, the various concerns raised against this practice and the efficacy of legislation in regulating this practice. (200 Words)

--Surrogacy has emerged a widespread trade in developing countries like India, where the couples come looking for a third party women, who would carry their child until birth.
--In India, future projections of this practice range from opportunity to exploitation, i.e. from rural women in India uplifted out of poverty to a futuristic nightmare of developing country baby farms.
--Reason for popularity is, that this serves as a way out of their miserable conditions. It also gives a hope to the sterile couples who cannot have a baby, to experience parenthood.
--The negative aspects of this practice include:

1. The surrogates are mostly exploited to an extreme level, by repeated impregnation without having a minimum interval of an year between successive impregnations.
2. India has emerged as a market of surrogates, which degrades these women in the eye of the world, due to their lack of opportunities and poverty.
3. Numerous children still live in orphanages, who are denied the love and affection needed by them. They can be adopted by sterile couples instead of opting for surrogacy.

--After initially banning surrogacy in 2012, the govt introduced Assisted Reproductive Technologies Act in 2013, which proposes strict guidelines for the foreign couple, as well as securing the well being of the surrogates.
--But the efficacy of such a practice is low, as the prospective surrogates can be taken to some other country, with lesser stringent rules.
--The solution can only be attained when we give an alternate avenue of financial security to such women involved in this practice, so as to permanently pull them out of this abyss. This includes gender sensitive schemes in Make in India program and promoting Beti Bechao Beti Padhao like schemes, which are capable to adequately empower women.

“Fashioning urban centres is not just about delivering services with technical precision. Cities are about human beings, communities, migrants, classes, men and women, not to mention the various other species of flora and fauna which will live there.” With reference to the new Smart City initiative launched by the Government of India, critically discuss the statement.

Recently Smart cities initiative has been launched with an aim to build 100 new cities and using digital technology in providing smart urban livability and establishing new centers of growth.

Though the scheme is positive step towards addressing the issues of migration and over-congestion of existing cities it grapples with challenges like

1) RESISTANCE FROM COMMUNITIES- specially farmers who has shown opposition in acquisition of their arable land for developing smart cities . The prospect of having an urbanized landscape and improved lifestyle seems to be inadequate in allaying the fears of alienation and joblessness.

2) OVER EMPHASIS ON TECHNOLOGY- It envisage to create centralised data repository and managing key service like traffic etc., however data transparency is questionable. The elite could use the data to create relatively greener enclaves,
consigning polluting activities to the poor quarters of the city.

3) Ignores the various possible interaction and confrontation that may occur between its different section. for instance The inclusion of migrants, poor dwellers
and other marganalised section is debated.

Despite these apprehensions, building of smart cities is need of the hour. It is essential that its various components viz smart economy, environment, living, mobility and people are given adequate attention to make them smart in spirit.