Tuesday 19 April 2016

બજેટ ટાણે ભારતના અર્થકારણનું સ્વોટ એનાલીસીસ સમજણમાં વધારો કરશે

તા. ૨૯-૨-૨૦૧૬ના રોજ ભારતનું બજેટ (૨૦૧૬-૨૦૧૭) બહાર પડશે. તેનું પૃથક્કરણ કરવા અથવા બજેટ અંગેની ઊંડી સમજ મેળવવા અત્યારના ની તાકાતો (સ્ટ્રેંથ્લ), નબળાઈઓ (વીકનેસીઝ), તકો (ઓર્પોચ્યુનીટીઝ) અને ભયો (થ્રેટસ)ની સમજ મેળવવી પડશે. આપણે બહુ જ ટૂંકમાં તેની ચર્ચા કરીશું.

અર્થકારણની તાકાતો :

ભારત અત્યારે જગતના મોટા અર્થકારણોમાં સૌથી વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે. ચાલુ વર્ષે તેનો વિકાસ દર ૭.૩ કે ૭.૪ ટકા જેટલો રહેશે. ચીનનો વિકાસ દર સાત ટકાથી નીચે જતો રહ્યો છે. આઈએમએફના રીપોર્ટ મુજબ ભારતનો ૧૯૧૬-૧૯૧૭ અને ૧૯૧૭-૧૯૧૮નો વિકાસદર ૭.૫ ટકા જેટલો હોવાનું અનુમાન છે. તે ઉપરાંત જાહેર થનારા બજેટમાં ફીસકલ ખાદ્ય ૩.૫થી ૪ ટકાની વચ્ચે રહેશે. આ વર્ષે અને આવતા બે વર્ષ માટે તે ૩.૫ ટકા સુધી રાખવાનું નક્કી થયું હતું. પરંતુ જો તે ૩.૮ ટકા સુધી જશે તેમ માનવામાં આવે છે.

અલબત્ત આ ખાધ માટેના નાણા નવી નોટો છાપીને નહીં પણ સરકારી સાહસોમાં નફો કરીને કે જાહેર લોન લઈને પૂરા પડાય તો તે દેશને વધુ ફાયદાકારક (ફુગાવા વિરોધી) સાબીત થશે. ભારતમાં અત્યારે છૂટક બજારોના ભાવોને વધારો ૬ ટકાની અંદર છે અને જથ્થાબંધ ભાવોનો વધારો તેનાથી નીચો છે. તે એમ સૂચવે છે કે ફુગાવો એકંદરે કાબુમાં છે. જો ફુગાવો ૧૨ ટકા કે તેથી વધુ ઉપર થાય તો ભલભલી સરકારોને તૂટી પડવાનો ભય રહે છે. ભારતનું અર્થકારણ ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવાઓનો ફાળો ૫૫ ટકાની આજુબાજુ ગણાય છે અને તે વધતો જાય છે. આ સેવા ક્ષેત્રે પણ આઈટી સેવાઓનો ફાળો વધતો જાય છે. ભારતના સેવા ક્ષેત્રનો વિકાસ છેલ્લા ચાર વર્ષથી ૯ ટકાના દરે વધી રહ્યો છે. જ્યારે ખેતી ક્ષેત્રના તથા ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ દરો કરતાં વધારે છે. અમેરિકામાં સેવા ક્ષેત્રનો ફાળો તેની રાષ્ટ્રીય આવકમાં ૮૦ ટકા જેટલો છે અને પશ્ચિમ યુરોપના દેશોમાં પણ 'ડીઈન્ડસ્ટ્રીઅલાઈઝેશન' થઈ રહ્યું છે.

વૈશ્વિક પરિસ્થિતિ :

ભારત માટે અત્યારે વિશ્વમાં તેલના ભાવો નીચે જઈ રહ્યા છે તે સ્થિતિ ઘણી ફાયદાકારક છે. અત્યારે ક્રૂડ તેલના ભાવો ૩૧ ડોલર્સની આજુબાજુ છે. અમુક સમય પહેલાં તે ૧૩૦ ડોલર્સની આજુબાજુ થઈ ગયા હતા. ભારતે ખુશ થવાનું છે કે ખનિજ તેલના ભાવો ઓછા થઈ ગયા છે. કેમ ? ભારતની આયાતમાં સૌથી વધુ મોટી એક આઈટમ ખનિજ તેલ અને તેની પ્રોડક્સની આયાત છે. ભારત માટે ખનિજ તેલના ઓછા ભાવો એક 'વીન્ડફોલ' જેને લીધે ભારતની બજેટ ખાધ અને ચાલુ ખાતાની ખાધ ઓછી થઈ છે. ભારતમાં બે વર્ષ સતત પ્રતિકૂળ હવામાન છતાં ભારતમાં દુકાળો પડયા નથી. કે લાંબા ગાળાની અછત સર્જાઈ નથી તે ભારતીય અર્થકારણનું પોઝીટીવ પાસુ છે. ભારતની નિકાસ ઘટી રહી છે કારણ કે જગતભરમાં કોમોડીટીઝ અને અન્ય ચીજોના ભાવો ઘટી રહ્યા છે. આ એક વૈશ્વિક પરિબળ છે. તેમ છતાં ભારતની ચાલુ ખાતાની ખાદ્ય (જેને આપણે બહોળી વ્યાખ્યામાં નિકાસમાંથી આયાતની બાદબાકી ગણી શકીએ) જીડીપીના માત્ર ૧.૫ ટકાની આજુબાજુ રહેશે. વળી ભારતમાં પ્રત્યક્ષ વેરા (વ્યક્તિગત ટેક્ષ + કંપની ટેક્ષ)ની આવક લક્ષ્યાંક કરતાં ઓછી થશે. પરંતુ અપ્રત્યક્ષ વેરા (એકસાઈઝ ડયુટી, કસ્ટમ ડયુટી અને સર્વીસ ટેક્ષ)ની આવક લક્ષ્યાંક કરતાં વધારે થવા સંભવ છે. તેથી બન્ને પ્રકારના કરવેરા ભેગા થઈને કરવેરાના લક્ષ્યાંકને પૂરા કરશે.

નબળાઈઓ :

નબળાઈઓ ઘણી છે. જબરજસ્ત આઘાત આપનારી ઘટના લીસ્ટેડ બેંકોની નોન-પરફોર્મીંગ એસેટસ છે. દા.ત. સ્ટેટ બેંકની એનપીએ ૭૨૭૯૨ કરોડ રૃપિયા બેંક ઓફ બરોડાની ૩૮૯૨૪ કરોડ રૃપિયા, બેંક ઓફ ઈન્ડીયાની ૩૬૫૧૯ કરોડ રૃપિયા, પંજાબ નેશનલ બેંકની ૩૪,૩૩૮ કરોડ રૃપિયા, ઈન્ડીયા ઓવરસીઝ બેંકની ૨૨૬૭૨ કરોડ રૃપિયા વગેરેના આંકડા જે તે બેંકની નોન-પરફોર્મીગ એસેટસ છે. આ રૃપાળા નામ હેઠળ ભયાનક હકીકત એ છે કે બેંકોએ લોકોને ધીરેલા પૈસા કરજદારોએ પાછા આપ્યા નથી. ૨૦૧૫ના અંત સુધીમાં તમામ લીસ્ટેડ બેંકોની નોન-પર્ફોમીંગ એસેટ્સ ૪.૩૯ લાખ કરોડ રૃપિયા હતી. આ રકમમાંથી કેટલી રીકવરી થશે તેની આપણને ખબર નથી. બેંકોને પુન: ધમધમતી કરવા સરકાર બજેટમાં ક્યા પગલાં લેશે તેની આપણે રાહ જોઈ રહ્યા ંછે.

બીજુ, ભારતની નિકાસ સતત ઘટી રહી છે. નિકાસમાં સતત ૧૩માં મહિને ઘટાડાનો દોર જોવા મળ્યો છે. આનું કારણ વિશ્વના બજારોના અને ખાસ કરીને ચીનમાં સ્લો-ડાઉન થઈ રહ્યું છે.

સીમેન્ટ, સ્ટીલ અને પાવર ક્ષેત્રે ભારતમાં મંદી છે. તેથી સરકાર અને ખાનગી ક્ષેત્ર જરૃર નોકરીઓ ઊભી કરી શક્યા નથી. ભારતમાં ભલે સાત ટકાથી વધુ દરે વિકાસ થઈ રહ્યો હોય પણ તે પૂરતી નવી નોકરીઓ ઊભી કરતો નથી. જાણીતા અર્થશાસ્ત્રીઓ પ્રો. બીએન પીરઝાદા અને પ્રો. રમેશ શાહે પણ આ પ્રકારના 'પ્લેબેલ ગ્રોથ' માટે ચિંતા વ્યક્ત કરી છે. ભારતની સરકાર માટે એક જબરજસ્ત ચિંતાનો વિષય સાતમાં પે કમીશનની ભલામણો અને વન રેંક - વન પેન્શન યોજનાના અમલનો રહેશે. આ અમલ માટે સરકારે ૧.૧ ટ્રીલીયન (એક ટ્રીલીએન એટલે એક લાખ કરોડ) રૃપિયાની જરૃર પડશે.

આટલી રકમ જે આપણી રાષ્ટ્રીય આવકના ૭ ટકા (એક ટકાનો સાતમો ભાગ) જેટલી જંગી થાય તેની સરકાર કેવી રીતે જોગવાઈ કરશે ? છેલ્લાં બે વર્ષથી ભારતમાં ચોમાસું સારૃ નથી ગયું. આથી ભારતમાં માથાદીઠ અનાજની ઉપલબ્ધતા ઘટી છે. વળી ભલે છૂટક ભાવો માત્ર ૬ ટકાના દરે જ વધ્યા હોય પરંતુ કઠોળના ભાવો થોડાક ઘટયા છતાં હજી કીલોના ૧૨૦-૧૫૦ના રેન્જના છે. ૨૦૧૪-૨૦૧૫માં ભારતમાં કૃષિ ઉત્પાદન માઈનસ ૨ ટકાનું અને ૨૦૧૫-૨૦૧૬માં તે માત્ર ૧.૧ ટકા (સૂચિત) થશે. ભાજપની ચૂંટણીના રાજકારણ માટે આ એક મોટી ચેતવણીરૃપ સમસ્યા છે.

મેઈક ઈન ઈન્ડીયા કાર્યક્રમને સ્કીલ ઈન્ડીયા અને ઉદ્યોગ સાહસિકતાને બરાબર આગળ વધારવામાં આવે તો ચીનને બદલે ભારત જગતનું મેન્યુફેકચરીંગ હબ બની જાય તે શક્યતા છે.

આ બજેટમાં કોર્પોરેટ ટેક્ષ પર ૩૦ ટકાનો વેરો છે તે થોડોક ઓછો થવાનો સંભવ છે. ભારત સરકાર ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસને ગંભીરતાથી લે તો ભારતમાં મોટા પ્રમાણમાં દેશની અને વિદેશી મૂડીનું જંગી રોકાણ થાય. હજી ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસમાં કે ભારતની બ્યુરોક્રસીમાં બીગબેંગ સુધારા થયા નથી. આવકવેરાની છૂટમાં વધુ ફેરફારો થવાનો સંભવ છે.

ઓસ્ટરનેટીવ મીનીમમ ટેક્ષ નાબૂદ કરવાની સરકારને આ બજેટમાં તક છે. ડોલરના પ્રમાણમાં રૃપિયો ગગડયો છે. એટલે ખરેખર તો નિકાસને ઉત્તેજન મળવું જોઈએ પણ તેમ થયું નથી.

સરકાર જાહેર ક્ષેત્રમાંથી હજી વધુ ડીસઈન્વેસ્ટમેન્ટ કરી બજેટ ખાદ્ય ઘટાડે તેની તક છે. સરકાર હજી ખાતર, પાણી (મફત વીજળી), અને ખેતીવાડીના અન્ન ક્ષેત્રોના જંગી સબીસીડી આપે છે તેનું રેશનલાઈઝેશન જરૃરી છે. સોલર એર્નજી ક્ષેત્રે અદ્ભુત તકો છે.

ભય સ્થાનો (થ્રેટ્સ) : રાજકારણ બહુ ડામાડોળ છે. જીએસટી અને બેન્કરપ્સી બીલ આ સેશનમાં પસાર થાય તે જરૃરી છે. જો જગતભરમાં મંદી આવશે (અત્યારે માત્ર સ્લોડાઉન છે) તો ભારતની નિકાસ ઘટી જશે. ભારતમાં આતંકવાદ વકરશે તો શેરબજાર મંદ પડી જશે કે તૂટી પડશે અને બેકારનો દર વધતા રાજકીય એર્નાકી થાય તેવી શક્યતા છે.



અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment