Sunday 22 May 2016

વિશ્વમાં ફેકટરી કામદારોનું સ્થાન જ્ઞાાનિક વર્ગ લઇ રહ્યો છે...

મજૂર સંઘોનું ઈકોનોમીઝમ

માર્કસવાદી વર્તુળોમાં હવે એવો મત પ્રવર્તે છે કે કામદારો (પ્રોલેટેરીએટ) ક્રાંતિના વાહક રહ્યા નથી અને ભૂતકાળમાં પણ ન હતા. અત્યારના જગતમાં 'મુક્તિદાતા' આંદોલનો અનેક પ્રકારના છે જેમકે સ્ત્રીમુક્તિની ચળવળો, દલિતોની આત્માસન્માન (ડીગ્નીટી) માટેની ચળવળો, જે દેશોમાં લોકશાહી નથી તેમાં લોકશાહી માટેની ચળવળો, માર્મિક સ્વાતંત્ર્યની ચળવળો વગેરે. એનો અર્થ એ કે રાજકીય-સામાજીક ક્રાંતિ કરવામાં શ્રમિક ચળવળોનો અલાયદો હક રહેતો નથી. મજૂર સંઘો પોતાના પગાર-બોનસ-અન્ય સવલતો-કાયમી નોકરી- માટેની ચળવળોમાં પડયા છે. તેમને રાજકીય ક્રાંતિ કરવી નથી. ભારતમાં અને અન્ય દેશોમાં સંગઠિત મજૂરોની સ્થિતિ ગરીબ અસંગઠિત પ્રજાની સરખામણીમાં ઠીક ઠીક સારી છે. વળી ભારતમાં એક આંકડા પ્રમાણે કુલ કામ કરનારાની સંખ્યામાં સંગઠિત મજૂરોની સંખ્યા માત્ર ૮ ટકા છે. ટૂંકમાં ભારતમાં સંગઠિત મજૂરો સહિયારા નથી પણ અસંગઠિત મજૂરો - જેમાં ખેતમજૂૂૂરોની સંખ્યા સૌથી વધારે છે - તેઓ સહિયારા છે. ભારતમાં સંગઠિત મજૂરો - ખાસ કરીને ઉદ્યોગોમાં કામ કરનારા મજૂરો વિષે એમ કહેવાય છે કે તેઓ 'ઈકોનોમીઝમ'નો ભોગ બન્યા છે. 'ઈકોનોમિઝમ' એટલે ટ્રેડ યુનિયનો દ્વારા પોતાની આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો કરવો અને રાજકારણમાં મુક્તિદાતા (ઈમેન્સીમેટરી પોલીટીક્સ)ની ભૂમિકા ભજવવી નહીં. આ બાબતના માર્ક્સ-એન્જલ્સ ખોટા પડયા છે. દેશમાં વધુ ને વધુ ઔદ્યોગિકરણ સંગઠિત મજૂરોને કંગાલિયતમાં ધકેલી દેતું નથી પરંતુ તેને કારણે કામદારોની સ્થિતિ સુધરતી જાય છે. દેશના જાહેર સાહસોમાં મજૂરોને સારા પગાર મળે છે અને સારી સવલતો પણ મળે છે.

સ્વાયમ સંઘર્ષો

બીજી બાબત એ બની છે કે દેશમાં સાંસ્કૃતિક અને સામાજીક સંઘર્ષો ઊભા થઇ રહ્યા છે તે દરેકની પાછળ વર્ગસંઘર્ષ છે તેમ માનવાનું નથી. સામ્યવાદીઓ એમ માને છે કે સમાજના દરેક સંઘર્ષની પાછળ આર્થિક કારણો હોય છે. આર્થિક કારણો મૂળભૂત છે ત્યારે અન્ય પ્રકારના સંઘર્ષો તેના માત્ર બાહ્યચિન્હો (સુપરકસ્ટમર) છે. હવે પોસ્ટ-માર્કસીસ્ટસ રાજકીય, સાંસ્કૃતિક, ભાષાકીય સંઘર્ષોને પણ સ્વાયત્ત ગણતા થયા છે. સમાજ સંપૂર્ણપણે અર્થકારણ પર ચાલતો નથી. આર્થિક ચેતના એ ખરેખર સમાજીક ચેતનાનો ઉપવિભાગ છે. રશિયામાં ઈ.સ. ૧૯૧૭માં અને ચીનમાં ૧૯૪૯માં જે સામ્યવાદી ક્રાંતિ થઇ તેની પાછળ કાંઇ વર્ગસંઘર્ષો ન હતા. તેઓ તો ફયુડલ રાજ્યો હતો. તેઓ રાજકીય ચેતનાને પરીણામે ક્રાંતિ કરી શક્યા. તેમની ક્રાંતિઓ કાલમ્યુત્પતીક્રમ હતી. મૂડીવાદીઓએ મજૂરોનું પુષ્કળ શોષણ કર્યું હતું અને તે હજી થઇ રહ્યું છે તે વાત સાચી પણ માર્ક્સની લેબર થીઅરી ઓફ વેલ્યુ અર્થશાસ્ત્રમાં આઉટડેટેડ ગણાય છે. આનો અર્થ એ નથી કે અત્યારના મૂડીવાદ સામે લડત આપવાની નથી. પરંતુ તેને બદલવાની તાકાત મજૂર સંઘોની નથી. આ પ્રથા જે સામાજીક અન્યાય ઊભો કરે છે તે દરેક મથકે તેની સામે સંઘર્ષ કરવાનો છે. દલિત-આદિવાસીઓના સંઘર્ષો, સ્ત્રીરસ્વાતંત્ર્યના સંઘર્ષો, વાતાવરણના પ્રદૂષણ સામેના સંઘર્ષો, ખેતમજૂરોના સંઘર્ષો દરેકનું લોકશાહીમાં સ્થાન છે અને તેઓ ઊંડુ સામાજીક પરિવર્તન લાવે છે. કાર્લ માર્કસે ભારત પર ઘણા લેખો લખ્યા છે. તેમણે ભારતમાં અંગ્રેજોના વહીવટને ભારતીયો માટે લાભદાયક ગણાવ્યો છે. પરંતુ ભારતીયજનની નસેનસમાં વ્યાપી ગયેલી જ્ઞાાતિપ્રથાને માર્કસ ઊંડેથી સમજી શક્યા ન હતા.

ક્રાંતિ માટે નવો વર્ગ

જગતમાં ધીરે ધીરે પ્રોબેટરીએટ (ફેકટરી કામદાર)નું સ્થાન 'કોગ્નીટેરીએટ' લઇ રહ્યો છે. અંગ્રેજીમાં કોગ્નીશન એટલે જ્ઞાાન, માહિતી, લર્નીંગ, વગેરે. કોગ્નીટેરીએટ એટલે જ્ઞાાનિક વર્ગ. આ જ્ઞાાનિક વર્ગને રાજકીય ક્રાંતિની જરા પણ પડી નથી. તેઓ વધુ ને વધુ સામાજીક સવલતો અને લાંબા સુખી જીવનની અપેક્ષા રાખે છે. તેઓ હવે ખેતીવાડીના ક્ષેત્રમાં પણ દાખલ થશે. ભારતમાં ભવિષ્યના ખેડૂતો આઇઆઇટી અને આઇઆઇએમના ગ્રેજ્યુએટ્સ હશે કે એમઆઇટીના, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પીએચડીઝ હશે. આ વિધાન અત્યારે હાસ્યાસ્પદ લાગશે. પરંતુ આવતા પચાસ વર્ષમાં ખેતીનું માત્ર યાંત્રીકરણ / મીકેનાઇઝેશન નહીં પણ રોબોટાઇઝેશન થઇ જશે. તેમાંથી ફાજલ ખેતમજૂરોને ક્યાં સમાવવા તે પ્રશ્ન અત્યારે સુલઝાવી શકાય તેમ નથી. અત્યારના ખેડૂતો એક ચોમાસુ નિષ્ફળ જાય તેનો ભાર પણ ખમી શકતા નથી. આપઘાત કરે છે. વળી તેઓ સામાજીક રીતે વધુ રૃઢિચુસ્ત છે. ડો. આંબેડકર સાચા હતા. ગામડામાં ના રહેવાય. માઓને ધન્યવાદ કે તેઓએ ખેડૂતોની મદદથી ક્રાંતિ કરી.

અત્યારે માર્કસીસ્ટ ફીલોસોફીના ક્ષેત્રમાં સ્લાવોજ ઝીઝેક ઊંચી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ સ્લોવાનીયા (એક જમાનામાં સામ્યવાદી દેશ)ના નાગરિક છે અને યુનિવર્સિટી ઓફ લંડનની બરબેક કોલેજમાં પ્રોફેસર છે. તેમણે તેમના 'ઈન ડીફેન્સ ઓફ લોસ્ટ કોઝીઝ' (આ કટારલેખકને અમદાવાદની બ્રીટીશ લાયબ્રેરીમાંથી મળ્યું)માં નીચેનું સૂૂચન કર્યું છે જે કાંઇક નવું છે. લેખક પોતે માર્કસવાદી છે.

ઝોંપડપટ્ટીમાં રહેનારાની ક્રાંતિ

સંગઠિત ઉદ્યોગોમાં કામ કરનારા નહીં પણ જગતના મોટા-નાના શહેરોની ઝૂંપડપટ્ટીમાં (સ્લમ્સ) કામ કરનારા ખરેખરા સહિયારા છે. તેમાંથી મોટાભાગના અસંગઠિત ક્ષેત્રમાં છૂટક છૂટક મજૂરી મેળવે છે. ઘણા દિવસો બેકાર પણ રહે છે. તેઓ પ્રોલેટરીએટ પણ નથી અને કોગ્નીટરીએટ પણ નથી. થર્ડ વર્લ્ડમાં કરોડો લોકો સ્લમ્સમાં રહે છે. લેટીન અમેરિકાના શહેરોમાં મુંબઇના સ્લમ્સ કરતા પણ મોટા સ્લમ્સ (માઇલો સુધી) છે. રાજ્યનો પણ તેમના પર ઓછો કાબુ છે. અહીં અપરાધી ટોળીઓ, ગંજરીઓ, દારૃડિયાઓ પણ રહે છે અને પ્રામાણિક કામ કરનારા લોકો પણ રહે છે. આફ્રીકાના લાગોસમાં આબીદજાનથી ઈબાદાન સુધીના લાંબા વિસ્તારમાં ૭ કરોડ લોકો સ્લમમાં રહે છે.

ઝીઝાક તેમને કાઉન્ટર ક્લાસ કહે છે. વૈશ્વીકરણને કારણે જગતના શહેરોમાં સ્લમ્સમાં રહેતા લોકોની સંખ્યા વધતી જાય છે. ઝીઝાક ઝોંપડપટ્ટીમાં રહેતા લોકોનું રાજકીયકરણ (પોલીટીલાઇઝેશન) કરવાનું સૂચન કરે છે. અત્યારે રાજકારણીઓ ચૂંટણી ટાણે જ સ્લમ્સમાં મત મેળવવા માટે જાય છે પરંતુ તેમને તેઓ રાજકારણ માટે એકત્ર (ઈન્ટીગ્રેટ) કરી શક્યા નથી. ઝીઝાક વેનેઝુએલાનું ઉદાહરણ આપતા જણાવે છે કે તેના વડા હ્યુગો આવેઝ ત્યાંના સ્લમમાં રહેનારા (ત્યાં સ્લમ્સને ફાવેલા કહે છે) લોકોને સંગઠિત કર્યા, તેમનું રાજકારણીકરણ (પોલીટીલાઇઝેશન) કર્યું અને સત્તા પ્રાપ્ત કરી અને ટકાવી રાખી. આ મોડેલ કદાચ લેટીન અમેરિકામાં ચાલે કારણકે તેની મોટાભાગની વસતી શહેરોમાં વસે છે પરંતુ ભારતમાં માત્ર ૩૨ ટકા જ વસતી શહેરોમાં વસે છે અને ૬૮ ટકા ગામડામાં રહે છે. શહેરના તમામ ઝોંપડપટ્ટીવાસીઓને તમે એકત્રીત કરો તો પણ ૬૮ ટકા ગામની પ્રજાનું શું ? આ કટારલેખકને ઝોંપડપટ્ટીમાં રહેનારા લોકો માર્કસીસ્ટ રીવોલ્યુશનના સૂત્રધાર બની શકે તે વિચાર તરંગી લાગે છે. રાજ્યમાં સામાજીક ન્યાય માટે અનેક આંદોલનો દ્વારા સામાજીક ન્યાય મેળવી શકાય.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment