Sunday 22 May 2016

મૂડીવાદ નામની વૈશ્વિક સિસ્ટમ સામે લડત આપનાર કોઈ છે ખરું ?

સામ્યવાદની હાર :ઇ.સ. ૧૯૯૧માં સામ્યવાદી સોવિયેટ રશિયાનું જ નહિ પણ સમગ્ર સામ્યવાદી વૈશ્વિક સિસ્ટમનું પતન થયું. જગતના સૌથી મોટા દેશ ચીને બજાર-કેન્દ્રી અર્થવ્યવસ્થા અને સામ્યવાદી એકહથ્થુ રાજકીય સત્તાનું મિશ્રણ કર્યું. છેલ્લા ૩૪ વર્ષથી લાગલગાટ રાજ્ય કરતી પશ્ચિમ બંગાળની સીપીએમ સરકાર પણ તૃણમૂલ કોંગ્રેસ આગળ હારી ગઈ. કેરાલામાં પણ પાંચ વર્ષ પહેલા સામ્યવાદી સરકાર હારી ગઈ હતી. સામ્યવાદી ક્યુબા હવે બજારકેન્દ્રી બનશે તેમ લાગે છે. ઉત્તર કોરિયાની છોકરમતવાળી સામ્યવાદી સરકારને અમેરિકન સીબીઆઇ ગમે ત્યારે ઉથલાવી પાડશે એમ લાગે છે. આ બધા બનાવોને કારણે મૂડીવાદના દૂષણોનો પ્રતિકાર કરનાર પરિબળ ઉભું થયું નથી. વિચારસરણીના યુદ્ધનો અંત આવતા તેમાં જે વેક્યુમ સર્જાયું તેમાં જગત માટે ભયરૃપ ઇસ્લામિક આતંકવાદ પેદા થયો છે. તે જગતની ડેમોક્રેટિક- સીક્યુલર સીસ્ટમને તોડવા પ્રવૃત્ત થયો છે.સામ્યવાદનો અંત આવતા જગતમાંથી વિચારસરણીના યુદ્ધનો અંત આવશે. અંગ્રેજીમાં આને 'એન્ડ ઓફ એન આઇડિયોલોજી' કહે છે, આવું બન્યું નથી.

મૂડીવાદનું બદલાયેલું સ્વરૃપ : જેમ કોઈ એન્ટીબાયોટીક દવા સાથે અથવા વાયરસ પોતાનામાં જેનેટિક ફેરફારો કરીને દવા સામે પ્રતિકાર કેળવે છે તેમ ચાલાક મૂડીવાદ પણ ટકી રહેવા પોતાનામાં જાતજાતના ફેરફારો કરે છે. સૌ પ્રથમ તેણે ૧૯૮૦ કે ૧૯૯૦ પછીના વર્ષોમાં વૈશ્વિક સ્વરૃપ ધારણ કર્યું. આ પ્રક્રિયા દરમિયાન તે ઔદ્યોગિક મૂડીવાદમાંથી ફાયનાન્સિયલ મૂડીવાદ બની ગયો છે. આ પહેલા તેના નફાનું મુખ્ય કેન્દ્ર કોમોડીટી અને ઉદ્યોગ દ્વારા થયેલી પ્રોડક્ટસ હતી. હવે અમેરિકન મૂડીવાદ ફાયનાન્સીયલ એસેટ્સના સ્પેક્યુલેશન દ્વારા સમૃદ્ધિનું સર્જન કરે છે. વળી આ મૂડીવાદ ત્રીજી રીતે પણ બદલાયો છે. તેણે પોતાના જીડીપીમાં સેવાઓ (ફાયનાન્સીયલ સેવાઓ સહિત શિક્ષણ, વીમા, બેંકિંગ, ટુરિઝમ, તબીબી સારવાર મનોરંજન, ટ્રેડ વગેરે)નો ફાળો ૮૦ ટકા કરી નાખ્યો. છેવટે તેણે પોતાના અસલી સ્વરૃપને કલ્યાણ રાજ્યમાં બદલ્યું છે અને હવે કેપીટાલીઝમ વીથ એ હ્યુમન ફેસનો અવતાર ધારણ કર્યો છે. મૂડીવાદ હવે બજારવાદ સ્વરૃપે પ્રગટયો છે. મૂડીવાદીઓ બજારોનો જગતભરમાં ફેલાવો કરી રહ્યા છે. તેણે મુક્ત બજારવાદનો આંચળો ઓઢ્યો છે જેથી તે મુક્ત લોકશાહીની સાથે લગ્નથી જોડાયો છે તેવો દેખાવ કરી શકે તે એમ કહે છે કે લોકશાહીને બજારવાદ વિના ન ચાલે અને બજારવાદને લોકશાહી વિના ન ચાલે અને આ લગ્ન સારી રીતે થાય તો જગતની ગરીબી નાબૂદ થાય બંનેનું સંતાન લગ્નની જગતની સમૃદ્ધિ તરીકે અવતારણ ધારણ કરે મૂડીવાદ એવો દાવો કરે છે કે તે પોતે 'ઉત્ક્રાંતિત' થઈને વધુ ઉત્તમ થતો જાય છે સામ્યવાદ રીજીડ હોવાથી તે તૂટી ગયો.

વ્યાપારીકરણ - સેવાઓનું : પરંતુ તે ઘણા પબ્લીક ગુડ્ઝ અને પબ્લીક સેવાઓનું ખાનગીકરણ કરવા માંગે છે. પાણી અત્યાર સુધી મફત મળતું હતું પણ હવે એક પાણીની બોટલના ૧૫થી ૨૦ રૃા. આપવા પડે છે. શિક્ષણ લગભગ મફત હતું હવે તેને માટે લાખો રૃપિયા આપવા પડે છે. રસ્તા પર મુસાફરી કરવા માટે કોઈ કરવેરા ચૂકવવા પડતા ન હતા. હવે ભારે ખર્ચાળ ટોલટેક્ષ આપવો પડે છે. લોકો સુખે-દુ:ખે ધર્મશાળામાં રહેતા હતા હવે હોટલોમાં મોંઘાદાટ ભાવે લગ્નની વ્યવસ્થા કરવી પડે છે. સ્નેહીઓ અને સ્વજનનું મૃત્યુ માટે જે સભા મળે તે મોંઘાદાટ હોલમાં ગોઠવવી પડે છે.

મૂડીવાદ સામેની લડતો : મૂડીવાદના દૂષણો દૂર કરવાની કે તેને નાબૂદ કરવાની સીક્યુલર લડતો બહુ ચાલતી નથી. મૂડીવાદ એ વૈશ્વિક સિસ્ટમ છે તેથી તેના દૂષણો દૂર કરવા વર્લ્ડ સોશીયલ ફોરમની રચના થઈ હતી તેનું પહેલું સંમેલન બ્રાઝીલમાં ઘણું સફળ થયું હતું. મુંબઈમાં પણ તેનું સંમેલન મળ્યું હતું. વર્લ્ડ સોશીયલ ફોરમની એક મર્યાદા એ છે કે તેમાં અગણિત મુદ્દાઓ અને સમસ્યાઓની રજૂઆત થાય છે તેમાં નારીવાદીઓ, વાતાવરણવાદીઓ, ડાબેરીઓ, ગે હક્કો માગનારા જે તે દેશના મૂળ રહેવાસીઓ, બંધને લીધે જમીન ગુમાવનારાઓ નિર્વાસીતો વગેરેનો સમાવેશ થાય છે તેમાં અનેક જૂથો પોતપોતાના અવાજો રજૂ કરે છે. પરંતુ ફોક્સને અભાવે આ આંદોલન લગભગ તૂટી પડયું છે. તમે એક ટકો છીએ અને અમે ૯૯ ટકા છીએ એ નારા નીચે ન્યુયોર્કની વોલસ્ટ્રીટ પાસે આવેલા ઝૂકોરી પાર્કમાં શરુ થયેલું આંદોલન ચાલ્યું નહી. કોઈ આંદોલન પુષ્કળ વધારે 'ઇસ્યુઝ' લઈને ચાલવા પ્રયત્ન કરે તો તે ચાલતું નથી. નક્સલવાદનું આંદોલન ચારૃ મઝમુદારની પ્રેરણાથી સારા આશયથી શરુ થયેલું હતું પણ તે શરુઆતથી જ હિંસામાં માનતું હતું હવે નક્ષલવાદીઓ 'સમાજ કો બદલ ડાલો'ના આદેશથી ચલિત થઈને ખંડણીખોર બની ગયા છે. નક્ષલવાદીઓને ક્રાંતિકારના માનનારા અંગ્રેજીમાં જેને ર્ર્ખન'જૅચચિગૈજી કહેવાય તે દશામાં જીવે છે. નક્ષલવાદીઓના હાથમાં કેન્દ્ર સરકારનો વહીવટ આવી જાય તો તેઓ ભારતને પાયમાલ કરી મૂકે. વિવિધ આંદોલનો માનવવિકાસ કે માનવ સંસ્કૃતિ વિરોધી ગણી શકાય. તેમ છતાં હજી ઘણા લોકો 'રોમાન્ટીક' સપનાનું જીવન જીવે છે.



અનેક પ્રકારના સંઘર્ષો : જગતમાં માત્ર વર્ગ સંઘર્ષો કે ધર્મ સંઘર્ષો ચાલે છે એવું નથી. અમુક પ્રકારના સંઘર્ષો ચાલે છે બર્મામાં લોકશાહીની સ્થાપના કરવાનો સંઘર્ષ લાંબો ચાલ્યો, હજી પણ ત્યાં પૂર્ણ લોકશાહી સ્થપાઈ નથી, આફ્રિકાના ઘણા દેશોમાં ટ્રાઇબલ સંઘર્ષો ચાલે છે. પુટીન રશિયન ફેડરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવે છે. જગતને હવે એક જ ચળવળ બચાવી શકે છે અને તે લોકશાહી અને સિક્યુલારીઝમને વાઇડન (પહોળી) કરવાની અને ડીપન (ઉંડી) કરવાની ચળવળો. રાષ્ટ્રીયતા અંદરથી ઉગે છે, બહારથી સ્થાપી શકાતી નથી. રાષ્ટ્રીયતા સિમ્બોલિક નહિ પણ 'સબસ્ટન્ટીવ' જોઈએ. હજી સામ્યવાદી સમીટનું જગતમાં સામ્યવાદ સ્થાપવાનું સ્વપ્ન તૂટયું નથી. તેઓ વૈશ્વિક મૂડીવાદને બદલે વૈશ્વિક સમાજવાદ ઇચ્છે છે. તેઓએ સામ્યવાદમાં લોકશાહીનો સ્વીકાર કર્યો છે તેની નવાઈ લાગે છે. ઇ.સ. ૨૦૦૬ સુધીમાં તેમણે બાલી દેશમાં ભરાયેલા બાળકો નામના શહેરમાં સભા ભરીને બાળકોને અપીલ બહાર પાડી તેમાં નીચે મુજબના મુદ્દાઓ રજૂ કર્યા (૧) લોકશાહીનો ઉપયોગ કરી સમાજવાદ સ્થાપો, (૨) બજારીકરણ વિનાનું કલ્ચર ઉભું કરો, (૩) ગરીબ દેશો અને ધનવાન દેશો વચ્ચે સોલીડારીટી ઉભી કરો, (૪) વર્લ્ડ ગવર્નમેન્ટ ઉભી કરો, (૫) શાહીવાદનો નાશ કરો.

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

No comments:

Post a Comment